Monday, December 15, 2025

સત્યની જીત

                                  એક વખતની વાત છે. એક ગામ હતું. આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. પણ તેમાં સૌથી ઓળખીતું નામ કિશન હતું કિશન ગરીબ હતો. પરંતુ ખૂબ જ મહેનતી અને સત્યવાદી હતો. તે રોજ ગામની બહાર ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે કિશનને જમીન ખોદતા એક જૂનો ઘડો મળ્યો ધડામા સોનાના સિક્કા ભરેલા હતા. થોડીવાર કિશન ડરી ગયો પરંતુ તરત જ તેને તેના પિતાની વાત યાદ આવી કે "દીકરા જે આપણું નથી તે ક્યારેય પોતાનું નહીં માનવું નહીં." કિશન ઘડો લઈને સીધો ગામના વડીલો પાસે ગયો ગામના વડીલો બધું ધ્યાનથી સાંભળ્યું. થોડા સમયમાં ખબર પડી કે આ સોનાનો ઘડો વર્ષો પહેલા ગામના એક વૃદ્ધ વેપારીનો હતો પણ ખોવાઈ ગયેલો ત્યારે તે વૃદ્ધ વેપારીને બોલાવ્યો તેને કિશનને પૂછ્યું "દીકરા તને ખબર હતી કે આ ઘડો કીમતી છે તો પણ તું મને આપ્યો."

                                   કિશન એ નમ્રતાથી જવાબ આપ્યો "હા કારણકે સત્ય અને ઈમાનદારી પૈસાથી વધારે મહત્વની છે."વૃદ્ધ વેપારી કિશનની ઈમાનદારી જોઈ ખૂબ જ ખુશ થયા તેણે ગામના બધા લોકો સામે કહ્યું કે સોનાનો અડધો ભાગ કિશનને ઇનામ તરીકે આપશે. પણ કિસને કહ્યું "મારે ઇનામ નથી જોઈતું મને બસ તમારી ખુશી જોઈએ."ગામના વડાએ કિશનની ઈમાનદારીથી ખુશ થઈને ગામની શાળામાં તેને નોકરી આપી અને આવી રીતે કિશન નું જીવન ગરીબાઈ માંથી બદલાય અને સારું અને સરળ બન્યું અને કિશન ગામનો એક આદર્શ વ્યક્તિ બની સારી રીતે જીવન જીવવા લાગ્યો.

બોધ: ઈમાનદારી માણસને સાચી સફળતા સાચી સફળતા આપે છે.

                                         લિ. પિયુષકુમાર વસાવા 

                         

No comments:

Post a Comment

Expart Lecture Economics

Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા  Date : 23/02/2026 Day : Monday  College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY.         ...