Tuesday, December 16, 2025

વ્યક્તિના ખરાબ કર્મોનું ફળ

                           આ વાર્તામાં બે એવા પરિવારની વાત કરવામાં આવી છે. જેવો પોતાના કુળદેવી ઓનાં મદદથી લોકોને હેરાન પરેશાન કરતા હતા જે કહાની કંઈક આવી છે. 

                           એ ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે વૃદ્ધ માણસની પત્ની નું મૃત્યુ ભૂતકાળમાં પાંચેક વર્ષમાં થયું હતું. તેમના ત્રણ છોકરાઓ પણ હતા. એક છોકરા જોડે તે રહેતો હતો. જેના પત્ની અને તેમના પણ છોકરા હતા. બીજો છોકરો તેમની બાજુમાં રહેતો હતો પણ તેની સાથે આ છોકરા નો સંબંધ હતો. અને ત્રીજો છોકરો બહાર શિક્ષકની નોકરી કરતો હતો આ વૃદ્ધ માણસનું નામ "કાંતિલાલ" હતું. કાંતિલાલ ના ઘર ની આગળ "ભીમાભાઇ" અને "કમળાબેન" નું ઘર હતું. આ બંને પરિવારમાંથી કાંતિલાલ ભીમાભાઇ કમળાબેન આ ત્રણ જણ આખી રાત દિવસ લોકોને બુરાઈ કર્યા કરતા ભીમાભાઇ ને ત્યાં દારૂનો પણ ધંધો કરતા હતા ભીમાભાઇને ત્યાં મસાની માં મેલડી નું સ્થાનિગ હતું મસામાં મેલડીને દર વર્ષે આઠમના દિવસે બકરાની બલી આપતા જે ભીમાભાઇના ચાર ભાઈઓ પણ હતા જો વારાફરતી માનતા પૂર્ણ કરતા હતા. આ બાજુ કાંતિલાલ ને ત્યાં પણ ભાથીજી મહારાજનું સ્થાનિગ હતું. કાંતિલાલ ને ભાથીજી ઉતરતા અને ભીમાભાઇને મેલડીમાં ઉતરતા હતા. પણ કાંતિલાલ ને ગામમાં કોઈ પસંદ ન કરતા કારણ કે તે લોકોનો કોઈ દિવસ પણ સારું ઈચ્છતા ન હતા. અને લોકો જોડે ખરાબ વર્તન કરતા હતા. ગામના છોકરાઓ શાળામાં રમવા જતા તો તેમને રમવા પણ ન દેતા અને તેમને મારવા પાછળ દોડતા એટલે કાંતિલાલને કોઈ પસંદ ન કરતા. એકવાર તો આ વૃદ્ધ કાંતિલાલે પોતાની દીકરીના પતિને જીવતો કરવા એક રાત ઘરમાં રાખેલો પણ જીવતો ન થયો. ત્યારબાદ થોડા સમય પછી કાંતિલાલના ખરાબ કર્મના કારણે તેમની તબિયત બગડી ત્યારે તેની ચાકરી ન તો તેનો દીકરો કરતો કે ન દીકરા ની પત્ની કરતી જેથી તેની તબિયત વધારે બગડી અને બીમાર પડ્યા અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું હતું.

બોધ: જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું હંમેશા ખરાબ જ થાય છે. 

                                       લિ. પિયુષકુમાર વસાવા 

No comments:

Post a Comment

Expart Lecture Economics

Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા  Date : 23/02/2026 Day : Monday  College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY.         ...